મોરબીના રફાળેશ્વર નજીક માલગાડી હડફેટે બે વ્યક્તિના મૃત્યુ

- text


મોડીરાત્રે બનેલા બનાવમાં ભડીયાદ જવાહર સોસાયટીમાં સગીર અને યુવાનનું મૃત્યુ નીપજ્યું

મોરબી : મોરબીનાં નજરબાગ રેલ્વે સ્ટેશનથી રફાળેશ્વર વચ્ચે ગત મોડીરાત્રે માલગાડી હડફેટે આવી જતા એક સગીર અને એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બન્ને મૃતકો ભડીયાદ વિસ્તારની જવાહર સોસાયટીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે મોડીરાત્રે રફાળેશ્વર નજીક માળિયા તરફથી આવતી માલગાડી હડફેટે આવી જતા જવાહર સોસાયટી ભડીયાદ ખાતે રહેતા સચીન હિતેશભાઈ ચૌહાણ, ઉ.17 અને મકવાણા મેહુલ મનસુખભાઈ, ઉ.18નું મૃત્યુ નીપજ્યું હતું.

- text

બનાવની જાણ થતાં જ મોરબી તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડી અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text