મોરબીમાં નળીયા છાપવાના કોન્ટ્રાકટ મામલે મારામારી, એટ્રોસીટી

- text


મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નળીયાના કારખાનામાં નળીયા છાપવાના કોન્ટ્રાકટ મામલે બે પરિવાર વચ્ચે મારામારી થતા એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ મહાદેવ પોટરી નામના કારખાનાની ઓરડીમાં રહેતા રમીલાબેન રમેશભાઈ વાઢેર નામના મહિલાએ આરોપી ટીનીબેન હિતેશભાઈ મારુણીયા, ભારતીબેન કાળુભાઇ, હિતેશ કાળુભાઇ, કાળુભાઇ અને તેમના પત્ની વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમનો નળીયા છાપવાનો કોન્ટ્રાકટ ચાલતો હતો પરંતુ પુત્ર બીમાર હોય તે કામ ઉપર ન આવતા આરોપીઓએ હવે કોન્ટ્રાકટ અમે લઈ લીધો છે કહી ઝઘડો કરી લાકડાના ધોકા વડે માર મારવા પ્રયત્ન કરી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા.

- text

બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રમીલાબેનની ફરિયાદને આધારે પાંચેય આરોપીઓ વિરુદ્ધ એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text