7 એપ્રિલે મોરબીના સો ઓરડી વિસ્તારમાં પંચના મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે

- text


મોરબી : મોરબીના સો ઓરડી વિસ્તારમાં આગામી તારીખ 7 એપ્રિલના રોજ પંચના મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સો ઓરડી વિસ્તારમા વસવાટ કરતા ધર્મપ્રેમી ભક્તજનો દ્વારા આગામી તા.7 એપ્રિલને શુક્રવારના રોજ પંચના મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન કર્યું છે. આ પ્રસંગે બપોરે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. રાત્રે ઉમેશભાઈ રાવળના સથવારે ડાક ડમરુની રમઝટ બોલશે. આ નવરંગ માંડવામાં પધારવા સર્વે ભાઈઓ-બહેનોને આમંત્રણ પાઠવાયું છે.

- text

- text