મોરબીના થોરાળા ગામે હનુમાન જયંતીએ કાન-નાક-ગળાનો ફ્રી નિદાન કેમ્પ યોજાશે

- text


મોરબી : મોરબી તાલુકાના થોરાળા ગામે આગામી તારીખ 6 એપ્રિલ ને હનુમાન જયંતી નિમિત્તે સ્વ.મણીબેન નાનજીભાઈ અંબાણીના સ્મરણાર્થે કાન-નાક-ગળાના દર્દોનો ફ્રી નિદાન કેમ્પ યોજાશે.

થોરાળા ગામના અંબાણી પરિવાર દ્વારા અહીંની હાઈસ્કૂલ ખાતે 6 એપ્રિલના રોજ સવારે 9 થી 11 વાગ્યા દરમિયાન કાન-નાક-ગળાના કેમ્પનું આયોજન કર્યું છે જેમાં નિષ્ણાત ડૉ.સુરભિ અંબાણી દ્વારા કાન- નાક- ગળાના રોગોની સચોટ સારવાર-નિદાન તેમજ ઓપરેશન અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા સમસ્ત થોરાળા અને આસપાસના ગ્રામ્યજનોને અનુરોધ કરવામાં આવે છે.

- text

- text