મોરબીમાં 6 એપ્રિલે તિરૂપતિ બાલાજી મંદિરનો પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

- text


મોરબી: મોરબીના જુના ઘુંટુ રોડ પર આવેલી અનંતનગર સોસાયટીમાં તિરૂપતિ બાલાજી મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન 6 એપ્રિલ ને ગુરૂવારના રોજ કરવામાં આવ્યું છે.

- text

6 એપ્રિલે તિરૂપતિ બાલાજી મંદિરની પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સવારે 7 કલાકે પુન: પ્રાણ પ્રતિષ્ઠા થશે. ત્યારબાદ બપોરે 4 કલાકે પૂર્ણાહુતિ શ્રીફળ હોમ કરવામાં આવશે અને રાત્રે 9 કલાકે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મંદિરે બપોરે 12 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરાવામાં આવ્યું છે. યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી હર્ષદભાઈ ભટ્ટ બિરાજશે.

- text