કવાડિયા ગામના પાટીયા નજીક ટ્રેન અડફેટે યુવાનનું મોત

- text


આત્મહત્યા કે અકસ્માતે મોત,પોલીસ તપાસ શરૂ : ગતરાત્રિના બન્યો બનાવો

હળવદ : હળવદ તાલુકાના કવાડીયા ગામના પાટીયા નજીક ગતરાત્રિના મયુર નગર ગામના રબારી યુવાનનું ટ્રેન અડફેટે આવી જતા મોત થયું હતું.જોકે પોલીસ દ્વારા યુવાનનું મોત અકસ્માતે થયું છે કે પછી આત્મહત્યા કરી છે ? તે અંગે તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળદર તાલુકાના મયુરનગર ગામે રહેતા જયેશભાઈ કાનાભાઈ રબારી ઉંમર વર્ષ 30નું ગતરાત્રિના સમયે કવાડિયા ગામના પાટીયા નજીક ટ્રેન અડફેટે આવી જતા મોત નીપજ્યું હતું.આ બનાવની જાણ હળવદ પોલીસને થતા કવાડિયા બીટ જમાદાર મનહરભાઈ પ્રજાપતિ અને યુવરાજસિંહ વહેલી સવારે ઘટના સ્થળે દોડી ગયા હતા. મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી.

- text

જોકે આ યુવાનનું મોત ટ્રેન અડફેટે આવી જતા થયું છે કે પછી આત્મહત્યા કરી છે.? તે અંગેની પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ જવાન જોધ દીકરાના મોતથી પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે.

- text