મોરબીમાં પરિણીતાના ચારિત્ર્ય ઉપર શંકા કરી માર મારતા પતિ વિરુદ્ધ ફરિયાદ

- text


મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા પરિણીતાને ઘરકામ મામલે મેણા ટોણા મારવાની સાથે ચારિત્ર્ય ઉપર શંકા કરી માર મારતા પતિ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કાલિકા પ્લોટમા રહેતા અનિશાબેન હનીફભાઈ અધામ નામના પરિણીતાને પતિ હનીફભાઈ કાસમભાઈ અઘામ ઘરકામ મામલે મેણા ટોણા મારવાની સાથે ચારિત્ર્ય ઉપર શંકા કરી માર મારતા હોવાથી ઘરેલુ હિંસા મામલે પરિણીતા દ્વારા પતિ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

- text