વાંકાનેર પોલીસ દ્વારા લોન મેળો યોજાયો

- text


વાંકાનેર : વાંકાનેરના લોકોને સરળતાથી નાણાકીય સહાય મળે અને એક જ જગ્યાએ સરકારી સહાયની માહિતી મળી રહે તે હેતુ સાથે વાંકાનેર સિટી અને તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આજ રોજ લોન મેળાનું આયોજન કરાયું હતું.

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી અને નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સિટી અને તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા વાંકાનેરના લોકો માટે લોન મેળાનું આયોજન કરાયું હતું. જેમાં વાંકાનેર સિટી પોલીસ ઈન્સ્પેક્ટર કે. એમ. છાસીયા તથા પોલીસ ઈન્સ્પેક્ટર વી. પી. ગોલ પોલીસ સબ ઈન્સ્પેક્ટર વી. આર. સોનાર તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન. એમ. ગઢવી તથા પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. તેમજ વેપારી આગેવાન અમિતસિંહ રાણા તથા પ્રગ્નેશભાઈ પટેલ જસદણ સિરામિક તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નીલેશભાઈ રાઠોડ તેમજ વાંકાનેર તાલુકાની સરકારી, ખાનગી અને સહકારી બેંકના અધિકારી તથા કર્મચારી તેઓના હેલ્પ ડેસ્ક ઉપર લોનના સાહિત્ય સાથે હાજર રહ્યા હતા.

આમ વ્યાજખોરોના વિષચક્રથી બચવા માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસ સાથે નાગરિકોને ઓછા વ્યાજે બેંકની લોન મળી રહે તે માટે લોન મેળા કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં લોકોને સરળતાથી લોન મળી રહે તે માટેની જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. નેશનલાઈઝ્ડ બેંકથી માંડીને કો-ઓ. બેંકના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા. આ લોન મેળામાં શહેરની રાષ્ટ્રીયકૃત અને કો-ઓપરેટીવ બેંકના પ્રતિનિધિઓની હાજરીમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેઓને લોન મેળવવા માટે જરૂરી માર્ગદર્શન આપવાની સાથે – સાથે પર્સનલ લોનથી માંડીને વેપાર – ધંધા માટેની લોન મેળવવા માટે લોકોને જાણકારી આપવામાં આવી હતી. આજે યોજાયેલા કેમ્પમાં પ્રધાનમંત્રી સ્વનિધિ લોન, પર્સનલ લોન, કિસાન સાથી યોજના લોન, મુદ્રા લોન, મહાનગર પાલિકાના કર્મચારીઓ માટે એકસપ્રેસ ક્રેડિટ સહિતની યોજનાઓની વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.

- text

- text