ટંકારાના મોટા ખીજડિયા ગામે કુવામા ડૂબી જતાં ખેત શ્રમિકનું મૃત્યુ

- text


મૃતકના ભાઈ અને પિતાએ ઘટના અંગે શંકા વ્યક્ત કરતા મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાશે

ટંકારા : ટંકારા તાલુકાના મોટા ખીજડિયા ગામે વાડીએ રહી ખેતમજૂરી કરતા અલિરાજપુર જિલ્લાના ખેત શ્રમિકનું કૂવામાં પડી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. જો કે, મૃતકના ભાઈ અને પિતાએ ઘટના અંગે શંકા વ્યક્ત કરતા મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવા પોલીસે તજવીજ શરૂ કરી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના મોટા ખીજડિયા ગામે હરજીવનભાઈ કરમશીભાઈ બરાસરાની વાડીએ રહી ખેત મજૂરી કરતા અલીરાજપુર જિલ્લાના વતની પ્રવીણભાઈ કલસિંગભાઈ અજનાર નામના યુવાનનું કૂવામાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

ખેત મજૂર યુવાનના મૃત્યુ અંગે મૃતકના ભાઈ અને પિતાએ શંકા વ્યક્ત કરી અરજી કરતા મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવા માટે ટંકારા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઈ હતી.

- text