૨૫મીએ મોરબી ખાતે ૧૩માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાશે

- text


મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ થીમ ઉપર થશે ઉજવણી

મોરબી : ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના માર્ગદર્શન હેઠળ આગામી તારીખ ૨૫ મી જાન્યુઆરીના રોજ મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ ની થીમ “મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ” રાખવામાં આવ્યું છે.

મોરબી જિલ્લામાં ૧૩માં રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૩ની ઉજવણી ૨૫/૦૧/૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે, એલ.ઇ.કોલેજ (ડીગ્રી)ના સેમિનાર હોલ ખાતે કરવામાં આવનાર છે જેમાં “મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ” થીમ અંતર્ગત યુવા મતદારોને મતદાન અંગે જાગૃત કરવામાં આવશે.

- text

- text