નોન ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેન રદ

- text


મોરબી : નોર્થ વેસ્ટર્ન રેલવેમાં જયપુર ડિવિઝનના ખાતીપુરા સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામગીરી માટે બ્લોક લેવામાં આવશે. જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થતા રદ કરવામાં આવી છે તો અમુક ટ્રેનને ડાયવર્ટ રૂટ ઉપર દોડાવવામાં આવનાર છે.

રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ 07.01.2023, 10.01.2023, 14.01.2023 અને 17.01.2023 ના રોજ રદ રહેશે. ટ્રેન નંબર 20938 દિલ્હી સરાઈ રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ 09.01.2023, 12.01.2023, 16.01.2023 અને 19.01.2023ના રોજ રદ રહેશે.

જયારે ટ્રેન નંબર 19269 પોરબંદર – 19.01.2023 ના રોજ પોરબંદરથી ઉપડતી મુઝફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસ તેના હાલના રૂટ ફુલેરા-જયપુર-અલવર-રેવાડીને બદલે વાયા ફુલેરા-રીંગાસ-રેવાડી થઈને ડાયવર્ટ કરવામાં આવશે.23.01.2023 ના રોજ દિલ્હી સરાઈ રોહિલ્લાથી ઉપડતી ટ્રેન નંબર 20938 દિલ્હી સરાઈ રોહિલ્લા–પોરબંદર એક્સપ્રેસ હાલના રૂટ રેવાડી–અલવર–જયપુર–ફુલેરાને બદલે વાયા રેવાડી–રિંગાસ–ફુલેરા થઈને ડાયવર્ટ કરવામાં આવશે.

- text

રેલવે તંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે http://www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

- text