- text
મોરબી : મોરબી શહેરના મહેન્દ્રપરા વિસ્તારમાં તસ્કરોએ મહાકાળી માતાજીના મંદિરને નિશાન બનાવી સોના ચાંદીના 1.40 લાખના છતરની ચોરી કરતા સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ મહાકાળી માતાજીના મંદિરના તાળા તોડી તસ્કરો મંદિરમાં રહેલા સોનાના બે છતર તેમજ ચાંદીના આઠ છતર મળી કુલ રૂપિયા 1.40 લાખની માલમતાની ચોરી કરી જતા દિનેશભાઇ મોતીલાલ ભોજાણીએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
- text
- text