મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળનો સ્નેહ મિલન કાર્યક્રમ સંપન્ન

- text


મોરબી : મોરબીમાં રામધન આશ્રમ ખાતે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળનો 12મો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેજીથી ધો.10 સુધીમાં બાળકો માટે રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું.

તેમાં 120 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.દરેક રમતમાં એકથી ત્રણ નંબરના વિજેતાઓને ઇનામ અપાયા હતા. આ કાર્યક્રમોને સફળ બનાવવા 11 દાતાઓએ સહયોગ આપ્યો હતો.

કાર્યક્રમનું સ્ટેજ સંચાલન રાજેશભાઇ મંઢ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન મયુરભાઈ ગજીયા દ્વારા કરાયું હતું. આભારવિધિ વિજયભાઈ કાનગડે કરી હતી. અજયભાઈ ડાંગર દ્વારા મંડળની કાર્યસૂચી રજૂ કરાઈ હતી. ભાવેશ્વરીબેન, ચંદુભાઈ હુંબલ અને જીવણભાઈ ડાંગર દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું. આ વેળાએ 500 જેટલા સભ્યોએ સાથે ભોજન લીધું હતું.

- text

- text