રફાળેશ્વરની આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી

- text


મોરબી : રફાળેશ્વર આદર્શ નિવાસી શાળા (વિ.જા)ના વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજીના સિદ્ધાંતો જાણે સમજે અને પ્રાયોગિક સમજ પ્રાપ્ત કરે એ હેતુથી અમદાવાદ સાયન્સ સિટીનો પ્રવાસ ગોઠવાયો હતો. આ પ્રવાસમાં શાળાના ધોરણ 10 ના 41 વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી. મોરબીમાં ચાલતા “લોક વિજ્ઞાન કેન્દ્રના” સહયોગથી અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની મંજૂરીથી આ મુલાકાતને સફળ બનાવવામાં આવી.
તારીખ 30 ડિસેમ્બર ને શુક્રવાર રોજ શાળાના વિદ્યાર્થીઓ અમદાવાદ સાયન્સ સિટીની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં એકવાટીક, ગેલેરી રોબોટિક, ગેલેરી જળચર, જીવો વગેરે વિભાગોને મુલાકાત લઈને વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ માહિતી આપવામાં આવી હતી.

- text

- text