થર્ટી ફર્સ્ટને લઈને ચેકપોસ્ટ, હોટેલ અને ફાર્મ હાઉસો ઉપર પોલીસ ચેકીંગ હાથ ધરશે : એસપી

- text


 

કોઈ કેફી દ્રવ્યનું સેવન કરતું હોય કે હેરાનગતિ કરતું હોય તો તુરંત કંટ્રોલ રૂમ કે નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા એસપીની અપીલ

મોરબી :આગામી 31 ડિસેમ્બરના રોજ નવા વર્ષની ઉજવણી થનાર હોય જે અનુસંધાને મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તમામ આગોતરૂ આયોજન કરવામાં આવેલ હોવાનું જિલ્લા પોલીસે જાહેર કર્યું છે.

જિલ્લા પોલીસના જણાવ્યા મુજબ આગામી 31 ડિસેમ્બર અનુસંધાને છેલ્લા પાંચ દિવસોમાં મોરબી પોલીસ દ્વારા પ્રોહીબીશનના અસર ગ્રસ્ત એરીયામાં ડે-નાઇટ કોમ્બીંગ / ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવેલ છે. તેમજ 31 ડિસેમ્બર અનુંસધાને મુખ્ય પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુ.રા. ગાંધીનગર તથા પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગની સુચના મુજબ પોલીસ અધિક્ષક મોરબી દ્વારા છેલ્લા અઠવાડીયા દરમ્યાન પ્રોહીબિશનના વધુમાં વધુ કેસો કરવા સ્પે. ડ્રાઇવનું આયોજન કરેલ હોય જેમાં પ્રોહી ધારા તળે ૧૧૨ કેસો શોધી કાઢી રૂ.૩૫,૧૬,૬૭૦/- નો મુદામાલ કબ્જે કરી કુલ ૧૧૧ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ઉપરાંત 31 ડિસેમ્બર સુધી પ્રોહીબીશન તથા ડ્રગ્સ અનુસંધાનેની આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર છે તેમજ મોરબી જિલ્લામાં પ્રવેશતા રસ્તાઓ ઉપર ૧૦ થી વધુ આંતર જીલ્લા ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલ છે જે તમામ ચેકપોસ્ટ ઉપર સઘન અને કડક વાહન ચેકીંગ કરી બ્રેથએનેલાઇઝર ઇક્યુટમેન્ટ દ્વારા ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસો કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે.

- text

31″ ડિસેમ્બર અનુસંધાને પોલીસની અલગ અલગ ટીમો બનાવી હોટલ/ધાબા/ ગેસ્ટ હાઉસ/ ફાર્મ હાઉસ તથા અંતરીયાળ વિસ્તારમાં આવેલ વાડીઓ ખેતરો અવાવરૂ જગ્યાઓ ખાતે સઘન ચેકીંગ કરી કોઇ પણ અનઅધિકૃત કૃત્ય જણાય આવ્યે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

તેમજ આગામી દિવસોમાં તહેવારની ઉજ્જવણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે જિલ્લામાં 2 ORT, LCB, SOG ની અલગ અલગ મહતમ માણસોની ટીમો બનાવી સેન્સેટીવ એરીયામાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ રાખવામાં આવનાર છે.

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આગામી 31 ડિસેમ્બરની ઉજવણી તમામ પ્રજાજનો શાંતિપુર્વક અને ટ્રાફીકને અડચણરૂપ ન થાય તે રીતે તેમજ મોડી રાત્રીના સમયે લાઉડ સ્પીકરનો ઉપયોગ ન કરવા અપીલ છે.

આપની આજુબાજુમાં કોઇ કેફી દ્રવ્યનું સેવન, વેચાણ કે હેરાફેરી થતી હોય તો તુરત પોલીસ કંટ્રોલરૂમનો અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવો. આજુબાજુના એરીયામાં કોઇ અસામાજીક તત્વો કોઇ પણ જાતની હેરાનગતી કે ટોળાશાહી કરતા હોય સુલેહ શાંતિનો ભંગ કરવાની તૈયારી કરતા હોય તો તુરત જ પોલીસ કંટ્રોલરૂમનો અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવો. માહીતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

- text