ટંકારા દોશી વિદ્યાલયના ભૂતપૂર્વ છાત્રોનું સ્નેહ મિલન યોજાશે

- text


આગામી 18મીના રોજ યોજનાર સ્નેહ મિલન માટે વોટ્સએપ ગ્રુપ અને ગૂગલ લિંક કાર્યરત

ટંકારા : ટંકારા સ્થિત એમ.પી.દોશી વિદ્યાલય ખાતે ભણી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે આગામી તા.18 ડિસેમ્બરના રોજ સ્નેહ મિલન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે, આ સ્નેહમિલન કાર્યક્રમમાં જોડાવા માટે વોટ્સએપ ગૃપ અને ગૂગલ ફોર્મ લિંક પણ કાર્યરત કરવામાં આવી છે.

ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતી ટંકારાની એમ.પી.દોશી વિદ્યાલય 1964મા કાર્યરત થયા બાદ અહીંથી ભણી ગણીને અનેક વિદ્યાર્થીઓ સફળ ખેડૂતથી લઈ ઉચ્ચ અધિકારી અને રાજકીય ક્ષેત્રે સફળ બન્યા છે ત્યારે શાળાના ટ્રસ્ટી અને શાળા પરિવાર દ્વારા જુના સંસ્મરણો વાગોળવા આગામી તા.18 ડિસેમ્બરને રવિવારના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે ખાસ સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

- text

આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટેના સ્નેહ મિલન કાર્યક્રમમાં જોડાવા માટે શાળા પરિવાર દ્વારા મોબાઈલ નંબર 6351584117 ઉપર વોટ્સએપ ગ્રુપ કાર્યરત કરી ગૂગલ ફોર્મ મુકવામાંમા આવ્યું છે જેથી કાર્યક્રમમાં જોડાવવા ઇચ્છતા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા ટ્રસ્ટી નવીનભાઈ મહેતા, ધર્મેન્દ્રભાઈ વી.મહેતા, આચાર્ય વી.એ.ખાંભલા, તથા શાળા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

- text