મોરબી વેપારી મિત્ર મંડળ દ્વારા શિયાળામાં ખવાતી શુદ્ધ ઘીની મિઠાઈનું રાહત દરે વિતરણ કરાશે

- text


મોરબીઃ મોરબી વેપારી મિત્ર મંડળ દ્વારા શિયાળામાં ખવાતા શુદ્ધ ઘીના અડદિયા, શુદ્ધ ઘીનો બદામ પાક અને શુદ્ધ ઘીના ગુંદર પાકનું વ્યાજબી ભાવે વિતરણ કરવામાં આવશે.

વ્યાજબી ભાવે આ મિઠાઈ ખરીદવા માટે તારીખ 2 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધીમાં બુકિંગ કરાવવું પડશે. બુકિંગ કરાવવા માટે બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી (1) ઠા. દલીચંદ જેરામભાઈ, પરાબજાર, મોરબી (2) જયવિન પ્રોવિઝન સ્ટોર (ભગત), ગાંધીબજાર, ગ્રીનચોક, મોરબી (3) ચંદન કિરાણા સ્ટોર્સ, સામાકાંઠે, કુળદેવી પાનની સામે, મોરબી-2 (4) મહેક એજન્સી, નવાડેલા રોડ, મોરબી માળીયા સંઘવાળી શેરી, મોરબી ખાતે સંપર્ક કરવાનો રહેશે. મિઠાઈનું વિતરણ તારીખ 11 ડિસેમ્બર ને રવિવારના રોજ બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી મોરબીની સુધારાવાળી શેરી ખાતે આવેલી લોહાણા મહાજન વાડી ખાતે કરવામાં આવશે. તો આ મિઠાઈ ખરીદીનો લાભ લેવા સર્વે જ્ઞાતિજનોને વિનંતી કરવામાં આવી છે.

- text

- text