વાંકાનેર બેઠકમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં ક્ષત્રિય અગ્રણીએ અપક્ષ ઉમેદવારી પાછી ખેંચી

- text


વાંકાનેર ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કર્યો

વાંકાનેર : વિધાનસભાની ચૂંટણીના જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે તેમ ચૂંટણીનો રંગ જામી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આજ રોજ ઉમેદવારી પાછી ખેંચવા માટેનો છેલ્લો દિવસ છે ત્યારે વાંકાનેર કુવાડવા બેઠક પર અપક્ષ ઉમેદવારી કરી રહેલ ક્ષત્રિય આગેવાન નરેન્દ્રસિંહ નટુભા ઝાલા દ્વારા ક્ષત્રિય સમાજના અગ્રણીઓની હાજરીમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી સાથે ભાજપના 67 વાંકાનેર કુવાડવા બેઠકના ઉમેદવાર જીતુભાઈ સોમાણીને ટેકો જાહેર કર્યો હતો. અને ક્ષત્રિય સમાજને ભાજપના ઉમેદવારને જંગી બહુમતી જીતાડવા કામે લાગી જવા ક્ષત્રિય આગેવાનોએ હાકલ કરી હતી.

- text

ભાજપના ઉમેદવાર જીતુભાઇ સોમાણીના સમર્થનમાં અપક્ષ ઉમેદવારી પરત ખેંચતા સમયે ઉમેદવાર નરેન્દ્રસિંહ ઝાલા સાથે અર્જુનસિંહ ઝાલા માજી ઉપ પ્રમુખ તા. પ્રમખ, ભરતસિંહ ઝાલા, સહદેવસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા તા.પ. પ્રમખ, નરેન્દ્રસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ઝાલા, ભરતસિંહ ઝાલા, દશરથસિંહ ઝાલા, માહિપાલ સિંહ ઝાલા તા.પ સદસ્ય, ભુપેન્દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ રાણા, પ્રદીપસિંહ રાણા, રામદેવસિંહ ઝાલા, ભગુભા ઝાલા માજી સરપંચ કણકોટ, જયુભા ઝાલા સરપંચ લુણસરિયા, ભીખુભા જાડેજા, જુગાભા ઝાલા, રઘુરાજસિંહ ઝાલા, કિશોરસિંહ ઝાલા, ભુપેન્દ્રસિંહ ઝાલા, સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text