મોરબી પાલીકામાં ચુંટાયેલા પૂર્વ કાઉન્સીલરો માટે ગેટ ટુ ગેધર

- text


ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા દ્વારા જનસંઘથી અત્યાર સુધીના તમામ નગરસેવકો સાથે મિલન કરાશે

મોરબી : વિધાનસભા ચૂંટણીનો રંગ ધીમે-ધીમે જામતો જાય છે ત્યારે આવતીકાલે ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા દ્વારા મોરબી પાલિકા ચૂંટાયેલા તમામ પૂર્વ નગરસેવકો સાથે ગેટ ટુ ગેધરનું આયોજન કરાયું છે.

મોરબી માળીયા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા દ્વારા આવતીકાલે સાંજે 7 વાગ્યે શનાળા રોડ, સરદાર બાગ સામે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે જનસંઘથી ભાજપ સુધી આજદીન સુધીની સફરમાં મોરબી નગરપાલીકામાં અમુલ્ય યોગદાન આપનાર ચુંટાયેલા પૂર્વ કાઉન્સીલર્સ માટે ગેટ ટુ ગેધર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે, આ કાર્યક્રમમાં પૂર્વ કાઉન્સીલર્સને સહપરિવાર સમયસર પધારવા કાંતિભાઈ અમૃતિયા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ વિગતો માટે સંયોજક- ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, સી.ડી.રામાવત-૯૧૭૩૫૪૪૨૦૬ તેમજ નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

- text

- text