કચ્છ મોમાઈ મોરા માતાજીના દર્શન કરી પરત ફરતા બે યુવાનોનો ખાડાએ જીવ લીધો

- text


મોરબી – માળીયા હાઇવે ઉપર સોખડા ગામના પાટિયા નજીક બનેલા બનાવમાં જામવાળી થાનગઢના બે યુવાનના અકાળે મૃત્યુ

મોરબી : મોરબી – માળીયા હાઇવે ઉપર પડેલા ખાડાઓના કારણે અવાર નવાર અકસ્માતના બનાવો બનતા રહે છે ત્યારે સોખડા ગામના પાટિયા નજીક જીવલેણ ખાડાએ કચ્છ મોમાઈ મોરા માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા જામવાળી, થાનગઢ ગામના બે યુવાનોનો ભોગ લેતા અરેરાટી મચી જવા પામી છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.27ના રોજ કચ્છ મોમાઈ મોરા માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા જામવાળી થાનગઢ ગામના ગોપાલભાઈ ગભુભાઈ સભાળ તથા રાહુલભાઈ રઘુભાઈ બોળીયાનું બાઈક રોડ ઉપર વચ્ચે આવેલા ખાડામાં સ્લીપ થઈ જતા બન્નેને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક ગોપાલભાઈના માસીના દીકરાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

- text