બોડકી ગામના પાટીદાર સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો

- text


લજાઈના જોગ આશ્રમ ખાતે યોજાયેલા કાર્યક્રમ પાટીદાર સમાજના લોકોએ એકમેકને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

મોરબી : દિવાળીના બીજા દિવસથી નવું વર્ષ શરૂ થતું હોય વર્ષોની પરંપરા મુજબ નૂતન વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. દરેક જ્ઞાતિ, સંગઠનો દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાઈ છે. ત્યારે નૂતન વર્ષ પહેલાં માળીયાના બોડકી ગામના પાટીદાર સમાજનો તાજેતરમાં સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો.

ટંકારાના લજાઈ નજીક આવેલ જોગ આશ્રમ ખાતે ગત તા.15ને શનિવારે માળીયા તાલુકાના બોડકી ગામના પાટીદાર સમાજનો પ્રથમ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં સમસ્ત બોડકી ગામના પાટીદાર સમાજના ભાઈઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. વડીલોએ પોતાની જુની યાદો વાગોળી બધાજ લોકોના મન મોહી લીધા હતા.

- text

- text