સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી દ્વારા દશેરાના દિવસે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન થશે

- text


મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ મોરબી અને પરશુરામ યુવા ગ્રુપ મોરબીનાં સંયુક્ત ઉપક્રમે દશેરાના દિવસે શસ્ત્ર અને શાસ્ત્ર પુજનનું આયોજન કરવામાં આવ્યું છે.

સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમૂલભાઈ જોષી તથા પરશુરામ યુવા ગૃપ પ્રમુખ રોહિતભાઈ પંડ્યા તથા મહામંત્રી ધ્વનિતભાઈ દવે અને કમલભાઈ દવેના જણાવ્યા પ્રમાણે દશેરાના દિવસે તારીખ 5 ઓક્ટોબર ને બુધવારના રોજ સવારે 11 કલાકે ગાયત્રી મંદિર, વાઘપરા, મોરબી ખાતે શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્રનું પુજન કરાવવામાં આવશે. તો મોરબીનાં તમામ ભૂદેવોએ બહોળી સંખ્યામાં શસ્ત્ર અને શાસ્ત્ર પુજનમાં હાજરી આપવા જણાવાયું છે.

- text

- text