મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા 25મીએ સરસ્વતી સન્માન સમારોહ

- text


મોરબી: મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા આગામી તારીખ 25 સપ્ટેમ્બર ને રવિવારના રોજ મોરબીમાં સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.

25 સપ્ટેમ્બરે મોરબીના નવલખી રોડ પર આવેલા મચ્છોયા આહીર સમાજની વાડી ખાતે બપોરે 1:30 કલાકે મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા આ સરસ્વતી સન્માન સમારોહ યોજાશે. વિદ્યાર્થીઓને સન્માનિત કરવાની સાથે સાથે જીવન ઘડતર તથા કારકિર્દી માર્ગદર્શન માટે જ્ઞાતિના શ્રેષ્ઠ વક્તાઓ દ્વારા વક્તવ્ય આપવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ભાવનગરના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિક કલેકટર અને નિયામક એવા જયશ્રીબેન જરૂ ઉપસ્થિત રહેશે.

- text

કાર્યક્રમના અધ્યક્ષ પદે માળીયા મીયાણા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠોડ હાજરી આપશે અને દીપ પ્રાગટ્ય વવાણીયા માતૃશ્રી રામબાઈમાની જગ્યાના મહંત કિશનદાસજી મહારાજના હસ્તે થશે. આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે રાજકોટ ઝોનના એડિશનલ કલેકટર આઈ. એસ. આહિર (ચૌહાણ), અમદાવાદ સ્ટેટ જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર નિર્મલભાઇ ગોગારા, વડોદરાના ડેપ્યુટી કલેકટર આશિષભાઈ મિયાત્રા, ગારીયાધારના મામલતદાર રાણાભાઈ લાવડીયા સહિતના મહેમાનો અને સંતો-મહંતો ઉપસ્થિત રહેશે.

- text