મોરબી પરજીયા રાજગોર બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે

- text


મોરબી : મોરબીમાં પરજીયા રાજગોર બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.સાથે ભોજન અને દાંડિયા રાસ પણ યોજાશે.

પરજીયા રાજગોર બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓ માટે સરસ્વતિ સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન આગામી તા.૨૪ને શનિવારના રોજ સાંજે ૬ થી ૧૦ કલાકે પરશુરામ ધામ, ચેરીટેબલ ટ્રસ્ટ,મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે.સન્માન સમારોહ બાદ ભોજન અને દાંડિયા રાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ પ્રસંગે સાંઈબાબા મંદિર,રણછોડનગરના મહંત બબા મહારાજ, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા અને પૂર્વ પ્રમુખ ડો.અનિલભાઈ મહેતા ઉપસ્થિત રહેશે.પરજીયા રાજગોર બ્રહ્મ સમાજ દ્વારા સમાજના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text