મોરબી રાષ્ટ્રીય સ્વયંસેવક દ્વારા કુટુંબ પ્રબોધન કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબી રાષ્ટ્રીય સ્વયંસેવક દ્વારા કુટુંબ પ્રબોધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સાંપ્રત સમયમાં કુટુંબ સુસંસ્કારિત અને અખંડ બને તે હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો.

મોરબીમાં ગત તા 2ના રોજ સાંજે ત્રિમંદિર નવલખી રોડ મુકામે કુટુંબ પ્રબોધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

સાંપ્રત સમયમાં કુટુંબ સુસંસ્કારિત અને અખંડ બને તે હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો. કુટુંબ પ્રબોધન સંદર્ભે પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો.જયંતિભાઇ ભાડેસિઆએ સચોટ માર્ગદર્શન આપેલ હતું.

આ કાર્યક્રમમાં લલિતભાઈ ભાલોડિયા,ભીમજીભાઈ અધારા, રણછોડભાઈ કુંડારિયા,મનુભાઈ કૈલા ઉપસ્થિત રહેલ હતા.કાર્યક્રમના અંતે સૌએ સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરેલ હતો.

- text

- text