સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ ગામ મોરબી જિલ્લામાં ભળશે

- text


મુળી તાલુકાના સરા, આંબરડી,કરશનગઢ, રામપરા અને નાડધ્રી ટૂંક સમયમાં હળવદ તાલુકામાં સમાવિષ્ઠ થશે : પ્રક્રિયા અંતિમ ચરણમાં

હળવદ : સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકા હેઠળ આવતા સરા, આંબરડી,કરશનગઢ, રામપરા અને નાડધ્રી ગામ ટૂંક સમયમાં હળવદ તાલુકામાં ભળી જશે. આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કરી મોરબી જિલ્લાને પ્રકરણ મોકલી આપવામાં આવ્યું છે જે પૂર્ણ થયે સરકાર દ્વારા વિધિવત ગેજેટમાં પ્રસિદ્ધ કરશે.

પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં આવતા મુળી તાલુકાના સરા, આંબરડી,કરશનગઢ, રામપરા અને નાડધ્રી ગામ ભૌગલિક રીતે મોરબી જિલ્લાના હળવદ તાલુકાથી નજીક થતા હોય આ ગામોનો મોરબી જિલ્લામાં સમાવેશ કરવા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કરી મોરબી જિલ્લા વહીવટી તંત્રમાં પ્રકરણ મોકલવામાં આવ્યું છે.

- text

વધુમાં હળવદ તાલુકા વિકાસ અધિકારી ચૌધરીએ આ બાબતે જણાવ્યું હતું કે મુળી તાલુકા હેઠળ આવતા સરા, આંબરડી,કરશનગઢ, રામપરા અને નાડધ્રી ગામને હળવદ તાલુકામાં સમાવેશ કરવા તાલુકા પંચાયત દ્વારા વિધિવત કાર્યવાહી કરી જિલ્લા પંચાયત અને જિલ્લા વિકાસ અધિકારીને મોકલી આપવામાં આવી છે જે મંજુર થયેથી સરકારમાં મોકલાશે અને બાદમાં ગેજેટમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.

- text