અંબાજી નજીક માલધારી પરિવારને નડેલા અકસ્માત મામલે સહાય આપવા સીએમને રજૂઆત

- text


મોરબી માલધારી સેના જિલ્લા પ્રમુખ દ્વારા રજૂઆત

મોરબીઃ ગુજરાત માલધારી સેના મોરબી જિલ્લા પ્રમુખ ધર્મેશભાઈ રબારી (ઘારાભાઈ) દ્વારા અંબાજી પાસે રબારી સમાજના પરિવારને નડેલા અકસ્માત મામલે મૃતકના પરિવારની સહાય ચુકવવા બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરવામાં આવી છે.

- text

ગુજરાત માલધારી સેના મોરબી જિલ્લા પ્રમુખ ધર્મેશભાઈ રબારી (ઘારાભાઈ) ઈ-મેઈલ મારફતે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે, દાતા તાલુકાના અંબાજી ગામે આબુ હાઈવે પર માલધારી પરિવાર રબારી ગણેશભાઈ જોઈતાભાઈ પોતાના માલઢોર લઈને પરત આવી રહ્યા હતા તે દરમિયાન શિતળામાતાના મંદિર પાસે ગફલતભરી રીતે ડ્રાઈવિંગ કરીને ટ્રેઈલર ચાલકે ગણેશભાઈ તેમજ માલઢોરને અડફેટે લેતાં ગણેશભાઈ તેમજ 13 ભેંસો અને 1 ગાયનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા ગણેશભાઈ પરિવારના મોભી હતા. ઘરનું ગુજરાન તેમના પર ચાલતું હતું ત્યારે ગણેશભાઈના મૃત્યુબાદ તેમના પરિવારને તાત્કાલિક સહાય ચુકવવામાં આવે તેવી પરિવાર વતી ધર્મેશભાઈ રબારીએ રજૂઆત કરી છે.

- text