શનાળા રોડ પર આવેલી અનુપમ સોસાયટી દ્વારા ઉજવાશે કૃષ્ણ જન્મોત્સવ 

- text


મોરબી : જન્માષ્ટમી મહોત્સવને લઈને લોકોમાં અનેરો આનંદ છવાયો છે. નાના-મોટા અનેક શહેરોમાં ધામધૂમથી જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે. કૃષ્ણ જન્મના વધામણા કરવા માટે શનાળા રોડ પર આવેલી અનુપમ સોસાયટી દ્વારા પણ અનેરૂ આયોજન થયું છે.

મોરબી શહેરમાં શનાળા રોડ પર આવેલી અનુપમ સોસાયટી દ્વારા જન્માષ્ટમી મહોત્સવ પ્રસંગે આવતીકાલે રાત્રે 9:00 કલાકે રાસ ગરબા તથા રાત્રે 12:00 કલાકે મટકીફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કૃષ્ણ જન્મોત્સવના અવસરે સોસાયટીના તમામ ભક્તજનોને કાર્યક્રમમાં પધારવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

- text

- text