ટંકારાના ધુનડા ખાનપર ગામે જન્માષ્ટમી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થશે 

- text


ટંકારા: આવતીકાલે નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ઠેર ઠેર જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી થનાર છે. ત્યારે ટંકારા તાલુકાના ધુનડા ખાનપર ગામે પણ આવતીકાલે જન્માષ્ટમી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે.

કૃષ્ણ જન્મના વધામણા કરવા માટે સમસ્ત ધુનડા ખાનપર ગામ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમી પર્વને લઈને ધનડા ખાનપર ગામે ગામના પ્રવેશ દ્વારથી લઈને સમગ્ર ગામમાં સુશોભન કરવામાં આવ્યું છે. આવતીકાલે સમગ્ર ગામ દ્વારા ભાવભેર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે હાલ જન્માષ્ટમી પર્વને લઈને ગામમાં એક અલગ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે.

- text

- text