- text
ટંકારા : આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ હર ઘર તિરંગા કાર્યક્રમના ભાગરૂપે મોરબી જીલ્લા કક્ષા કલા ઉત્સવમાં યોજાયેલ બાળ કવિ સ્પર્ધામાં ટંકારાની વિદ્યાર્થીની પ્રથમ ક્રમાંકે આવી છે.
ગાંધીનગર શિક્ષણ વિભાગ અને GCERT પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,રાજકોટ અને BRC વાંકાનેર આયોજીત આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ હર ઘર તિરંગા કાર્યક્રમના ભાગરૂપે મોરબી જીલ્લા કક્ષા કલા ઉત્સવ યોજવામાં આવ્યો હતો.જેમાં બાળ કવિ સ્પર્ધામાં ટંકારાની વિદ્યાર્થીની પ્રથમ ક્રમાંકે આવી છે.
- text
- text