વાંકાનેરના સરતાનપર રોડ ઉપર ટ્રક હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ

- text


હાર્ડવેરનો સામાન ખરીદી પરત આવી રહેલા સિરામિકના ધંધાર્થીને કાળ આંબી ગયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર મોટો સ્ટોન તથા મોટો સ્લીમ સીરામીક કારખાના વચ્ચે આવેલા કાચા રસ્તા ઉપર ટ્રક ચાલકે બાઈક સવારને હડફેટે લેતા સિરામિક ધંધાર્થીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર ખોડિયાર સોસાયટીમાં રહેતા મૂળ જોડિયા તાલુકાના રસનાળ ગામના વતની અશોકભાઈ કેશવજીભાઈ જીવાણી ગઈકાલે રફાળેશ્વરથી હાર્ડવેરનો સામાન ખરીદી સરતાનપર રોડ ઉપર આવેલા રે સિરામિક ફેકટરીએ જતા હતા તે સમયે ટ્રક નંબર જીજે- 12 – aw – 7086ના ચાલકે અશોકભાઈને બાઈક સાથે હડફેટે લેતા તેમના શરીર ઉપરથી ટ્રકનો જોટો ફરી વળ્યો હતો.

- text

વધુમાં આ અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક રેઢો મૂકી નાસી ગયો હતો. ઘટના અંગે મૃતક અશોકભાઈના મામાના દીકરા રસીકભાઇ રમેશભાઇ દેત્રોજા, રહે.મોરબી કેનાલ રોડ પ્લેટેનીયમ હાઇટ્સ એપાર્ટમેન્ટ વાળાએ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text