લજાઈ ગૌ સેવા મંડળ દ્વારા લમ્પીથી મૃત્યુ પામેલ ગૌવંશોની આત્માની શાંતિ માટે રામધુન યોજાઈ

- text


ટંકારા :ટંકારા તાલુકાના લજાઈ ગૌ સેવા મંડળ દ્વારા લંપી સ્કિન રોગમાં મૃત્યુ પામેલ ગૌ માતા અને ગૌવંશો આત્માની શાંતિ માટે રામધુનો આયોજન કરવામાં આવ્યું હતું.

હાલ ગૌમાતા અને ગૌવંશોમાં લમપી સ્કિન રોગમાં મોટા પ્રમાણમાં મૃત્યુ પામેલ છે તેના સારવાર માટે કામધેનુ એનિમલ કેર સેન્ટર પણ શરૂ કરવામાં આવેલ છે સમગ્ર રાજ્ય માં ગૌમાતા અને ગૌવંશી મૃત્યુ પામેલ છે ગૌ સેવા મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ નું આયોજન કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે ઈ સ 1967 માં મોરબી રાજકોટ જિલ્લામાં પ્રથમ એવી ગૌ શાળાની સ્થાપના જેનો સંકલ્પ હતો અમારી ગાય કતલખાને કદી ન જાય એવો દૃઢ સંકલ્પ સોહમદત બાપા (સુરેશભાઈ સોની) અને ગૌ સેવક દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યાં આજે પણ ગૌ સેવા ચાલી રહી છે.

- text

- text