મચ્છુ જળ હોનારતની વરસીએ કાલે મોરબી પાલિકા દ્વારા મૌન રેલી 

- text


મોરબીઃ આગામી તારીખ 11 ઓગસ્ટના રોજ મચ્છુ જળ હોનારત દિવસ હોય મોરબી નગરપાલિકા દ્વારા મૌન રેલી અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

11 ઓગસ્ટે મચ્છુ જળ હોનારતની 43મી વરસી નિમિત્તે મોરબી નગરપાલિકા દ્વારા બપોરે 3-15 કલાકે નગરપાલિકા કચેરીથી મૌન રેલી કાઢવામાં આવશે જે મૃતાત્માઓના સ્મૃતિ સ્થંભ મણિ મંદિર ખાતે બપોરે 3-30 કલાકે પહોંચશે અને ત્યાં દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. જેમાં નગરપાલિકા દ્વારા તથા મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી બે મિનિટનું મૌન પાળવામાં આવશે. આ કાર્યક્રમમાં હાજરી આપવા મોરબીની જાહેર જનતાને પણ જણાવવામાં આવ્યું છે.

- text

- text