મોરબી માર્કેટયાર્ડમાં જન્માષ્ટમી વેકેશન : 15 થી 21 ઓગસ્ટ સુધી યાર્ડ બંધ

- text


મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ તહેવાર નિમિત્તે આગામી 15 થી 21 ઓગસ્ટ દરમિયાન બંધ રહેશે. સાતમ આઠમના તહેવાર હોવાથી આગામી તારીખ 15/8 થી 21/8 દરમિયાન અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન માલની આવક તથા હરરાજીનું તમામ કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે. તારીખ 22/8ને સોમવારથી રાબેતા મુજબ અનાજ વિભાગમાં હરાજી શરૂ કરવામાં આવશે. જેની સર્વે એજન્ટભાઈઓ, વેપારીઓ તથા ખેડૂતોને નોંધ લેવા જણાવાયું છે.

- text

- text