વરસાદની સ્થિતિના પગલે મોરબીના વકીલો આજે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે

- text


મોરબી : મોરબીમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો હોય જનજીવન ભારે પ્રભાવિત થયું છે. ગઈકાલે ભારે વરસાદને પગલે મોરબીના વકીલો કોર્ટ કાર્યવાહીથી દુર રહ્યા બાદ આજે પણ મોરબીના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે તેવો નિર્ણય જાહેર કર્યો છે.

મોરબી બાર એસોસિયેશનના સત્તાવાર જણાવ્યા મુજબ આજે તા. 13/7/22ના રોજ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ હોવાના કારણે વકીલો તેમજ અસિલોને હેરાનગતિ ન થાય તે હેતુથી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ કરવામાં આવે છે. જેની તમામ વકીલો અને અસિલોએ નોંધ લેવા મોરબી બાર એસોસિયેશન તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે.

- text

 

- text