- text
ટંકારા : ગત રવિવારના રોજ બપોરના સમયમાં અજાણ્યા માણસનું અકસ્માત થતાં “આપ”ના આગેવાને પોતાની કારમાં દવાખાને પહોચાડવા આગળ આવ્યા હતા.પરંતુ રવિવાર હોવાથી દવાખાના બંધ હોવાથી તેમના મિત્રની મદદથી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર માટે પહોચાડેલ હતા.
આમ આદમી પાર્ટી ટંકારાના અગ્રણી નરોત્તમભાઈ ગોસરા ગત રવિવારના રોજ બપોરના સમયે પોતાનું કામ પતાવી 4 વાગ્યાની આસપાસ ઘરે જતા સમયે સરાયા પાસે કોઇક અજાણ્યા માણસનું અકસ્માત થયેલ ત્યારે નરોત્તમભાઈએ અકસ્માતમાં ઇજા પામેલ વ્યક્તિને પોતાની કારમાં સારવાર માટે ટંકારા દવાખાને પહોંચાડવાનું કરેલ.
- text
પરંતુ રવિવાર હોવાથી મોટાભાગના દવાખાના બંધ હશે એ વિચાર આવતા જ તેમના આમ આદમી પાર્ટીના સાથી મિત્ર ધમૅન્દ્રભાઇ કકકડને જાણ કરી ડોક્ટરની મદદ માટે તેમજ ધટતુ કરવા માટે કહેલ. તેથી ટંકારામાં ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી ડોક્ટરની સલાહ સુચન મુજબ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામા આવેલ હતા.
- text