- text
પ્રધાનમાં આવાસ યોજનામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ ઉપર ડીમોલેશન
મોરબી : મોરબી નગરપાલિકાએ આજે ડીમોલેશન હાથ ધરીને પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી 3 મંદિર અને 1 મદરેસાનું દબાણ હટાવી જગ્યાને ખુલ્લી કરાવી છે.
- text
મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરકાયદેસર રીતે મંદિરો અને મદરેસા આવેલા હોય, નગરપાલિકાના ચીફ ઓફિસર અને દબાણ હટાવ શાખાના હિતેશભાઈ રવેસિયા દ્વારા પોલીસને સાથે રાખીને ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 3 મંદિર અને 1 મદરેસા હટાવીને જગ્યાને ખુલ્લી કરવામાં આવી હતી.
- text