માળિયા વૃધાશ્રમમાં વૃદ્ધોએ યોગ દિવસ ઉજવ્યો

- text


માળિયા : માળિયામાં સૌરાષ્ટ્ર વિવિધલક્ષી વિકાસ ટ્રસ્ટ સંચાલિત સંગાથ વૃધાશ્રમમાં વૃદ્ધોએ યોગા કરી યોગ દિવસ ઉજવ્યો હતો. આ કાર્યક્રમમાં વરિષ્ઠ સમાજ સેવકે યોગ મહત્વ તથા ઉપયોગીતા વિશે વૃદ્ધો સમક્ષ વાત રજુ કરી હતી.વૃદ્ધોને વિવિધ યોગ કરાવવામાં આવ્યા હતા.

૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે સૌરાષ્ટ્ર વિવિધલક્ષી વિકાસ ટ્રસ્ટ સંચાલિત સંગાથ વૃધાશ્રમ માળિયા ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ૪૫ વૃદ્ધોએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમમા મુખ્ય મહેમાન તરીકે વરિષ્ઠ સમાજ સેવક વશરામભાઇ સોલંકી પણ હાજર રહ્યા હતા.જેઓએ યોગ મહત્વ તથા ઉપયોગીતા વિશે વૃદ્ધો સમક્ષ વાત રજુ કરી હતી.

આ સાથે વૃધાશ્રમના સંચાલક મકવાણા ધવલભાઈએ શરીરની તંદુરસતી માટે યોગ જરૂરી છે તેના વિશે વાત રજુ કરી હતી.વૃદ્ધોને પદ્માસન,સવાસન તથા અન્ય શારીરિક યોગ કરવામા આવ્યા હતા.આ કાર્યક્રમને સફલ બનાવવામા સ્ટાફ મિત્રો પ્રવીણભાઈ, સંદીપભાઇ એ સાથ સહકાર આપ્યો હતો.

- text

- text