- text
મોરબીના ભરતનગર ગામે નિવૃત આર્મીમેનની અનોખી ગૌભક્તિ
મોરબીઃ મોરબીના ભરતનગરના રહેવાસી, નિવૃત્ત સૈનિક તથા તલાટી મંત્રી એવા ગૌપ્રેમી ઈશ્વરભાઈ કાસુન્દ્રાએ પોતાના પાળેલા ગાયમાતાનું નિધન થતા વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરીને સમાધિ આપી હતી.
- text
ભરતનગર ગામે રહેતા ગૌપ્રેમી ઈશ્વરભાઈ કાસુન્દ્રાને ગાયમાતા પ્રત્યે અપાર લાગણી છે, જન્મથી જ ગાયનો તેઓએ ખૂબ જ કાળજી અને પ્રેમથી ઉછેર કર્યો. ગાય વૃદ્ધ થઈ જતાં ઈશ્વરભાઈએ ગાયની ખૂબ જ સેવા કરી. જો કે ભીમ અગિયારસના દિવસે ગાયમાતાનું નિધન થતાગાયમાતના ઈશ્વરભાઈએ તમામ વિધિ કરીને માન સન્માન સાથે અંતિમ સંસ્કાર કર્યા હતા. ગાયમાતાને ચૂંદડી અને ફૂલહાર પહેરાવીને સમાધિ આપી અંતિમ વિદાય આપી હતી.
- text