ઝૂલતો પુલ ફરી ઝૂલશે : બે કરોડના ખર્ચે રીનોવેશન કામગીરી શરૂ

- text


અજંતા ઓરેવા ગ્રુપ દ્વારા જીન્દાલ એલ્યુમિનિયમ તેમજ હિન્ડાલ્કો (બિરલા ગ્રુપ) જેવી કંપનીનો સંપર્ક કરી સ્પેશીયલ ગ્રેડનુ મટીરીયલ તૈયાર કરાવાયું

મોરબી : મોરબીની શાન સમો ઝૂલતો પુલ જર્જરિત બન્યા બાદ અજંતા-ઓરેવા કંપની દ્વારા મોરબીના ઐતીહાસીક ઝૂલતા પુલને ધળમૂળથી રીનોવેશન કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. અંદાજે રૂપિયા બે કરોડના ખર્ચે ઝૂલતા પુલને ફરી ઝૂલતો કરવા માટે જીન્દાલ એલ્યુમિનિયમ તેમજ હિન્ડાલ્કો (બિરલા ગ્રુપ) જેવી કંપનીનો સંપર્ક કરી સ્પેશીયલ ગ્રેડનુ મટીરીયલ તૈયાર કરાવી મોરબીના નઝરાણાને ફરી જીવંત બનાવવા પ્રયાસો તેજ કરાયા છે.

ઓરેવા ગ્રુપના દીપકભાઈ પારેખે જણાવ્યા મુજબ સતત દસ વર્ષ સુધી ઝૂલતા પુલની સફરનો નિરંતર આનંદ માણ્યા બાદ ઝૂલતા પુલમાં રીનોવેશનની જરુરત હોઈ ઝૂલતા પુલને ખોલીને ધળમૂળ થી રીનોવેશનની કામગીરી અજંતા- ઓરેવા ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવી છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, મોરબીના લોકો ઐતિહાસિક અને અલૌકીક ઝૂલતા પુલનો આનંદ નિરંતર અને લાંબા ગાળા સુધી માણી શકે તે માટે જીન્દાલ એલ્યુમિનિયમ તેમજ હિન્ડાલ્કો (બિરલા ગ્રુપ) જેવી કંપની નો સંપર્ક કરીને તેમની પાસે ખાસ સ્પેશીયલ ગ્રેડનુ મટીરીયલ તૈયાર કરાવાઈ રહયુ છે.

ઝૂલતાપૂલને વધુ મજબૂત બનાવવા ઓરેવા ગ્રુપ અને ફેબ્રીકેટરની ટીમ દ્વારા આશરે એક મહિનો અભ્યાસ કરી ઝુલતા પુલના રીનોવેશન માટે અંદાજીત આશરે બે કરોડ રૂપિયા ખર્ચ કરી અલગ-અલગ મટિરિયલનો ઉપયોગ કરી રીનોવેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, ઝૂલતા પુલને ખોલીને રીનોવેશન કરવાની કામગીરી આશરે 4 થી 5 માસ ચાલશે અને ત્યાર બાદ ઐતીહાસીક ઝૂલતા પુલને જનતા માટે ફરી ખુલ્લો મુકાશે.

- text

અગાઉ પણ ઓરેવા ગ્રુપના સુંદર સંચાલન થકી ઝુલતાે પુલ સતત 10 વર્ષ સુધી નિરંતર ચાલુ રહ્યો હતો અને હાલ થઈ રહેલ રીનોવેશન પણ ખૂબ જ ઝડપથી પૂર્ણ થાય તે માટે ઓરેવા ગ્રુપ પ્રયત્નશીલ છે અને ખુબ જ ટુંકા સમય બાદ મોરબીની જનતા તેમજ બહારગામથી આવતા સહેલાણીઓ ઐતિહાસિક અને અલૌકિક ઝૂલતા પુલની અનેરી સફર

- text