રવાપરમાં મંગળવારે તોરણીયાધામનું રામામંડળ રમાશે

- text


મોરબી : મોરબીના રવાપર ગામે મંગળવારે તોરણીયાધામનું રામામંડળ રમાશે.જેનો લોકોને લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

આગામી તા. ૩૧ને મંગળવારના રોજ મોરબીના રવાપર ગામે બહુચરમાંના મંદિર સામે નકલંક નેજાધારી રામામંડળ – તોરણીયાધામનું આયોજન કરેલ છે.

- text

જેમાં ગુજરાતના કલાકારો મિલન કાકડીયા, ભુટો ભરવાડ, ભોળાભાઈ(ગગુડિયો) તેમજ અન્ય કલાકારો દ્વારા રામામંડળ ભજવાશે. ભાવેશભાઈ મોતીભાઈ કાસુન્દ્રા દ્વારા રામામંડળનું આયોજન કરેલ છે. રામામંડળનું પોસ્ટર રામદેવ ગ્રાફિકસ(કરણ ભીમાણી) દ્વારા બનાવામા આવ્યુ છે.તમામ જનતાને રામામંડળ જોવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text