- text
મોરબી : મુળ તરઘરી હાલ મોરબી નિવાસી ડોક્ટર મિલનકુમાર મહાદેવભાઇ કુકરવાડિયા (ઉંમર વર્ષ ૩૫) તે મહાદેવભાઇ અને ગૌરીબેનના પુત્ર, ફાલ્ગુનીબેનના પતિ, ક્રિશીવના પિતા, સ્વ ઇશ્વરભાઇ તથા ગં.સ્વ લાભુબેનના ભત્રીજા, હિરેનભાઈ, ચેતનભાઇ તથા બીનાબેનના ભાઈ, પુનમબેન તથા હીનાબેનના દિયર, કમલેશભાઈ વાઘજીભાઈ કગથરાના સાળા, દેવજીભાઈ હરખજીભાઈ અંબાણી અને હંસાબેન દેવજીભાઈ અંબાણીના જમાઈ, પરિમલભાઇના બનેવી અને શ્રદ્ધાબેનના નણદોયાનું તા.19/5/2022ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.21/5/2022ને શનિવારે સવારે 8થી 10 કલાકે સનાળા રોડ ખાતેના શિવ હોલમાં રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
- text