હળવદ દુર્ઘટના : સનહાર્ટના ગોવિંદભાઇએ ઘટના સ્થળની મુલાકાત લઈ મૃતકોને રૂ. 11 હજારની સહાય જાહેર કરી

- text


 

હળવદ : હળવદના મીઠાના કારખાનામાં દુર્ઘટના સર્જાઈ તેમાં 12 લોકોના મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઇ પટેલે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને મૃતકોને રૂ. 11 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.

આજે બપોરે બારેક વાગ્યાના અરસામાં હળવદ જીઆઇડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના કારખાનામાં દીવાલ ધસી પડતા 12 શ્રમિકોના મૃત્યુ નિપજવાની દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટના બાદ અનેક મહાનુભાવોએ ઘટના સ્થળની મુલાકાત લીધી છે. જેમાં સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઈ ગણેશ ભાઈ પટેલે ફેકટરીની મુલાકાત લીધી હતી. તેઓએ દરેક મૃતક પરીવારને 11000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સાથે મૃતકોના પરિવારોને સાંત્વના પણ પાઠવી છે.

- text

- text