- text
મોરબી: હળવદમાં આજરોજ મીઠા ની કંપનીમાં દિવાલ પડતા 12 લોકોના કરૂણ મોત નિપજ્યા છે ત્યારે આ મામલે મોરબી આમ આદમી પાર્ટીએ પોલીસ ઇન્સ્પેકટર અને મામલતદારને આવેદનપત્ર આપીને જવાબદારો સામે કડક પગલાં ભરવા માંગ કરી છે.
આમ આદમી પાર્ટીએ આપેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, આ કંપનીની એક ઘોર બેદરકારી સામે આવી હોય તેવું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે આ ઘટના બાબતે તાત્કાલિક ધોરણે તટસ્થ તપાસ કરવામાં આવે અને તેની અંદર જે કોઈની બેદરકારી હોય તેવા જવાબદાર વ્યક્તિની સામે એફ,આઇ,આર, કરવામાં આવે અને તાત્કાલિક પગલાં લેવામાં આવે.
- text
આમ આદમી પાર્ટી દ્વારા આ માંગ સાથે હળવદના મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટરનેઆમ આદમી આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
- text