હળવદના નિવૃત્ત શિક્ષકનો અનોખો સેવાયજ્ઞ : સરોવર કાંઠે હાથ ધર્યું સ્વચ્છતા અભિયાન

- text


 

હળવદ : આદર્શ શિક્ષક તરીકે ફરજ બજાવી અને નિવૃત્ત થયા પછી પણ સેવાના કર્યો કરી રહ્યા છે તેવા આદર્શ શિક્ષક લવજીભાઈ હરજીભાઈ મોરડિયા કે જેઓ એ હળવદની આન બાન અને શાન અને ઐતિહાસિક સામંતસર સરોવર કાંઠે સ્વૈચ્છિક રીતે પોતે સફાઈ કરી રહ્યા છે.

- text

કેનાલના પાણીથી હળવદનું સામંતસર સરોવર બારે મહિના ભરેલું રહે છે. જેથી તળાવ કાંઠે લિલ અને કચરો જમાં થતો હોય છે. ત્યારે વચ્ચે નગરપાલિકા દ્વારા પણ મોટા પાયે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું પરંતુ ફરી સ્વચ્છતાની જરૂર હોય ત્યારે પોતે સ્વૈચ્છિક રીતે પોતાની ફરજ સમજી અને અનોખો સેવાયજ્ઞ આરંભ્યો છે ત્યારે લવજીભાઈ મોરડીયા આજના યુગના યુવાનો અને નિવૃત્તિ જીવન જીવતા અન્ય ને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.

- text