મોરબીમાં SMVS સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ

- text


મોરબી : મોરબીમાં SMVS સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનની મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

મોરબીમાં SMVS સ્વામિનારાયણ મંદિર ખાતે પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. જેમાં વાલા હરિકૃષ્ણ મહારાજ અને સત્યસંકલ્પદાસ સ્વામીના સાનિધ્યમાં ધામધૂમથી ઉજવાયો હતો. પુનઃ પ્રતિષ્ઠા નિમિત્તે ૧૦૦૦ જેટલા હરિભક્તો સ્વાગતમાં જોડાયા હતા. તથા પ્રતિષ્ઠા વિધિ પ્રોગ્રામમાં ૨૫૦૦ જેટલા હરિભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

આ તકે સત્યસંકલ્પદાસ સ્વામી એ આશીર્વાદ આપતા કહ્યું કે આ ઠાકોરજીના જે કોઈ દર્શન કરવા આવશે તથા રવિ સભાનો લાભ લેશે, તેને સ્વામિનારાયણ ભગવાન આલોક અને પરલોકમાં સુખિયા કરશે.

- text

- text