નિષ્ઠુર જનેતા… વાંકાનેરના રાજાવડલામાં તાજી જન્મેલ બાળકી ત્યજી દેવાઈ

- text


જાગૃત નાગરિકે વાંકાનેર સીટી પોલીસ મથકમાં અજાણી સ્ત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે ગઈકાલે વહેલી પરોઢે કઠણ કાળજાની નિષ્ઠુર જનેતાએ તાજી જન્મેલી બાળકીને ત્યજી દેતા આ મામલે રાજાવડલા ગામના સદગૃહસ્થે બાળકી ત્યજી દેનાર અજાણી સ્ત્રી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામના સદગૃહસ્થ ઉસ્માનભાઇ જલાલભાઇ વડાવીયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં અજાણી સ્ત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, પવિત્ર રમઝાન માસના રોઝા ચાલતા હોય તેઓ ગઈકાલે વહેલી સવારે જાગતા નાના બાળકનો રડવાનો અવાજ આવતા તેઓએ ઘર બહાર નીકળી જોતા તેમના ઘર નજીક એક તાજી જન્મેલ બાળકી નજરે પડી હતી.

- text

રાત્રીના એક વાગ્યાથી ત્રણ વાગ્યાના અરસામાં કોઈ અજાણી સ્ત્રી બાળકનો જન્મ છુપાવવા માટે બાળકીને ત્યજી દીધાનું બહાર આવતા થોડી વારમાં ગામના અન્ય લોકો પણ એકત્રિત થયા હતા અને પોલીસને જાણ કરી બાળકીને પોલીસને સોંપી આપી હતી.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અજાણી સ્ત્રી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૧૭ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text