મોરબી જિલ્લામાં કુલ 3104 વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા આપશે

- text


મોરબી : મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા લેવાનાર છે. જેમાં મોરબી જિલ્લામાં કુલ 3104 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેના માટે કુલ 260 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે.

જેની તાલુકા વાઈઝ વિગત જોઈએ તો હળવદ તાલુકામાં 60 બ્લોકમાં 715 વિદ્યાર્થીઓ, માળીયા (મી.) તાલુકામાં 15 બ્લોકમાં 179 વિદ્યાર્થીઓ, મોરબી તાલુકામાં 89 બ્લોકમાં 1068 વિદ્યાર્થીઓ, ટંકારા તાલુકામાં 31 બ્લોકમાં 369 વિદ્યાર્થીઓ તેમજ વાંકાનેર તાલુકામાં 65 બ્લોકમાં 773 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ, મોરબી જિલ્લામાં 260 બ્લોકમાં કુલ 3104 વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા આપનાર છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text