ટંકારામાં લેઉવા પાટીદાર સમાજ દ્વારા અખાત્રીજે સમૂહ લગ્નોત્સવ યોજાશે

- text


10 યુગલો પ્રભુતામાં પગલાં પાડશે : કરિયાવરમાં 67 વસ્તુઓ અપાશે

ટંકારા : સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા,યુવા સમિતિ,મહીલા સમિતિ દ્વારા તા.3 મંગળવારે અખાત્રીજના દિવસે તૃતીય સમૂહ લગ્નોત્સવ દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે યોજાશે.10 નવોઠા આ દિવસે પ્રભુતામાં પગલાં પાડશે.કરિયાવરમાં 67 જીવન જરૂરી વસ્તુ આપવામાં આવશે.

ટંકારા તાલુકાના લેઉવા પટેલ સમાજ દ્વારા સમુહ લગ્ન દર વર્ષની માફક આ વર્ષે પણ અખાત્રીજના દિવસે યોજાશે.આ તૃતીય સમૂહ લગ્નોત્સવ રાજકોટ મોરબી રોડ પર આવેલા દેવકુંવર શૈક્ષણિક સંકુલના પટરાગનમાં 10 યુગલો લગ્નગ્રંથિથી જોડાશે. 67 જેટલા દાતાઓ તરફથી કન્યાદાનમાં સોનાની બુટ્ટી, દાણો, ચૂક, ચાંદીની ગાય .તુલસી ક્યારો , ફર્નિચર, રસોડા સેટ સહિતની વસ્તુઓ અપાશે.સવારે 8 વાગ્યે મંડપ મુહૂર્ત,ગૌધુલી ટાણે જાન આગમન,ઢળતી સંધ્યાએ કન્યાદાન,ઝાલર ટાકણે હસ્ત મેળાપ યોજાશે.ત્યારબાદ નવદંપતીને આશીર્વાદ આપ્યા પછી 8 વાગ્યે ભોજન સંભારભ અને બાદમાં જાન વિદાય થશે.

- text

સમૂહ લગ્નોત્સવમાં મનીષાબેન ગોસરા, જીલુભાઈ ઢેઢી મીઠાભાઇ ગોસરા, મુકેશ ભાઈ દુબરીયા, હસમુખ ભાઈ દુબરીયા ,અશોકભાઈ સંઘાણી, અમૃતભાઇ નમેરા સહિત કારોબારી સભ્યો આગેવાનો તથા યુવાનો તડામાર તૈયારી કરી રહેલા છે. શ્રી સરદાર પટેલ યુવા પાટીદાર સમાજના આગેવાનો કાર્યકરો સામાજિક અને રાજકીય અગ્રણીઓ સમૂહ લગ્નમાં ભાગ લેશે અને નવદંપતીને આશીર્વાદ આપશે. પ્રમુખ અશોકભાઈ ડી. પટેલ, ઉપપ્રમુખ બેચરભાઈ ઢેઢી, લવજીભાઈ ઢેઢી, સંજયભાઈ ભાગિયા, ગંગારામ ભાઈ ચૌધરી સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- text