મોરબીમાં બાવળવાળી મેલડી માતા મંદિરે આવતીકાલે મંગળવારે નવરંગ માંડવો

- text


મોરબી : મોરબીમાં બાવળવાળી મેલડી માતા મંદિરે આવતીકાલે મંગળવારે નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં અશોકાલયનો ઢાળ ઉતરતા ભોયના ડેલા પાસે બાવળવાળી મેલડી માતાજીના મંદિરે બાવળવાળી મેલડી માતાજી મિત્ર મંડળ દ્વારા લત્તાવાસીઓના સહયોગથી આવતીકાલે તા. 26ને મંગળવારે મેલડી માતાજીના નવરંગ મંડપનું આયોજન રાખેલ છે. માતાજીના માંડવાનું થાંભલી મુહૂર્ત સવારે ચઢતા પહોરે કરાશે. માતાજીનું ફુલેકુ સવારે 9-15 કલાકે કરાશે. ભક્તો માતાજીનો મહાપ્રસાદ સાંજે 6 કલાકે લઈ શકશે.

- text

આ કાર્યક્રમમાં ડાક કલાકાર રાવળદેવ ઉમેશભાઈ જીવાભાઈ મકવાણા અને અનિલભાઇ ઉમેશભાઇ મકવાણા તથા પંચના ભુવાઓ હાજર રહેશે. આ અવસરે માતાજીના માંડવાનો અમુલ્ય લ્હાવો લેવા તથા માતાજીનો મહાપ્રસાદ લેવા ભક્તોને ભાવભર્યું આમંત્રણ અપાયેલ છે.

- text